Object

શ્રી જૈન જાગૃત્તિ સેન્ટર માધાપર દ્વારા સંચાલિત શ્રી સુવિધિ જૈન સાર્વજનિક દવાખાનું તા.૨૧-૧૨-૨૦૦૩ થી સતત લોક સેવાર્થે કાર્યરત છે. જેમાં ફ્રેન્ડસ ગૃપ ઓફ લંડનનો સુંદર આર્થિક સહકાર મળેલ છે.

કોઇ પણ પ્રકારના દર્દીઓને ફક્ત નજીવા ટોકન ચાર્જ (રૂ. ૧૦/- દશ રૂપીયા)માં સંપૂર્ણ નિદાન અને દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવું એ આ દવાખાનાનો મુખ્ય હેતુ છે.

ટૂંક માં આમ જનતાને તેમની નાની મોટી બીમારી વખતે પ્રાઇવેટ હોસ્પીટલો કે માનવતાને નેવે મૂકી ચુકેલા પ્રાઇવેટ ડોક્ટરો પાસે જઇ અઢળક અને બીનજરૂરી ખર્ચ ન થાય અને તેની બદલે ફક્ત ટોકન ચાર્જમાં તેમની બીમારીનો ઇલાજ અને સારવાર થઇ જાય તે માટે આ દવાખાનું સતત કાર્યરત છે.