Foundation

તા. ૨૧-૧૨-૨૦૦૩ના રોજ શ્રી જૈન જાગૃત્તિ સેન્ટર માધાપરની સેવાકીય કામગીરીમાં સૌથી વિશેષ નોંધપાત્ર કહી શકાય એવા કાયમી ધોરણે શ્રી સુવિધિ જૈન સાર્વજનિક દવાખાનાની શરૂઆત કરવામાં આવી. ફ્રેન્ડ્સ ગૃપ ઓફ લંડનના આર્થિક સહકારથી અને શ્રી જૈન જાગૃત્તિ સેન્ટર - માધાપર દ્વારા સંચાલિત શ્રી સુવિધિ જૈન સાર્વજનિક દવાખાનાનું ઉદઘાટન મૂનિશ્રી સુબોધવિજયજી મ.સા.ની ઉપસ્થિતિમાં પૂર્વ ધારાસભ્યશ્રી અને સર્વ સેવા સંઘના પ્રમુખશ્રી તારાચંદભાઇ છેડાના વરદ હસ્તે કરવામાં આવેલ હતું. આ પ્રસંગે યોજાયેલ સમારંભમાં પ્રમુખ સ્થાને ઉપસ્થિત જી.એમ.ડી.સી.ના પૂર્વ ચેરમેનશ્રી અને પૂર્વ ધારાસભ્યશ્રી મુકેશભાઇ ઝવેરીએ દીપ પ્રાગ્ટ્ય વિધિ સંપન્ન કરેલ હતી. શ્વેતાંબર મૂ.પૂ.જૈન સંઘના તત્કાલિન પ્રમુખશ્રી શશીકાન્તભાઇ શાહ તથા માધાપર ગામના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.
ઉપસ્થિત સર્વે આગેવાનોએ આ દવાખાનાના મુખ્ય આધારસ્તંભ એવા માનદ તબીબશ્રી ડો. બી. બી. મહેતા સાહેબને અભિનંદન પાઠવેલ હતાં. સાથે સાથે દવાખાનાના પ્રોજેક્ટ ચેરમેનશ્રી કેતનભાઇ શાહની કામગીરીની પણ પ્રશંશા કરેલ હતી. જૈન જાગૃત્તિ સેન્ટર માધાપરના તત્કાલિન પ્રમુખશ્રી સંજયભાઇ મહેતાએ સ્વાગત પ્રવચન અને મંત્રીશ્રી અશ્વિનભાઇ મહેતાએ સંચાલન તેમજ ખજાનચીશ્રી વિનેશભાઇ શાહે આભારવિધિ કરેલ હતી.

શ્રી તારાચંદભાઇ છેડાના વરદ હસ્તે રીબીન કાપી અને દવાખાનાનું ઉદઘાટન થયું ત્યારની તસ્વીર.


શ્રી મુકેશભાઇ ઝવેરી અને અન્ય મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય થયેલ ત્યારની તસ્વીર.